Song : Aaj Mare Orde re Avya Avinashi Albel...<br />lyricist : Shree Premanand Swami<br />Singer : Abhijit Ghoshal<br />Music : Ravi Vyas<br />Publisher : Shree Swaminarayan Temple - Sardhar<br />inspire : P. Swami Shree Nityaswarupdasji<br />Label : Kirtan Lyrics Channel<br />Video editor : Chand Joshi<br /><br />શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક મંદિરોમાં અને દરેક હરિભક્તોના ઘેરે નિત્ય ગવાતા કીર્તનપદો એટલે પ્રેમસખી સ.ગુ. શ્રી પ્રેમાનંદ સ્વામી રચિત 'આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ...'<br />આ કીર્તનપદો એટલે - સંતો ઠાકરોજી સાથે હરિભક્તોના પ્રેમભાવથી તેમના ઘેરે પધરામણી કરવા પધારે ત્યારે ભક્તો દ્વારા કે સંતો દ્વારા આ પદોનું ગાન થાય છે. યા તો કોઈ સમૂહસ્નાન કે ઠાકોરજીના અભિષેક પ્રસંગે કે કોઈ નાના-મોટા ઉત્સવોના માધ્યમથી પણ આ પદોનું અચૂક ગાન અખિલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં થતું જ હોય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની 'સ્વાભાવિક ચેષ્ટા'ના પદો પછી જોઈ પદોનું ગાન થતું હોય તે છે - શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ આ ઓરડાના પદોનું.<br />આ ઓરડાના પદો દ્વારા ભક્તજનો શાંતમને એકાગ્રચિત્તે ધ્યાનસ્થ બની ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં નિમગ્ન થઈ શકે તેવા શુભ હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર પ્રસ્તુત અને સંગીતકાર રવિ વ્યાસ દ્વારા રચાયેલા નૂતન સંગીતમય ઢાળમાં અને અભિજીત ઘોસાલના સુમધુરકંઠે ગવાયેલા આ પદો ભક્તોના હૃદયઅંતર સુધી સ્પર્શી અંતઃકરણને નિર્મળ બનાવે છે.
